મજબૂત ટીમ વગર ક્યારેય કોઈ માણસ સફળ થઈ શકતો નથી એ વાત સત્ય છે, એટલે મારા કાર્યક્રમો સફળ થવાં પાછળ મુખ્ય કારણ મારા ગુરુદેવની કૃપા છે અને પડદા પાછળ ઘણા લોકોનો બહુ મોટો સહકાર રહ્યો છે.
મારા કાર્ય સાથે સંકળાયેલા અને મારા તમામ કાર્યક્રમનું બધું જ સંચાલન કરનાર મારા હિતેચ્છુ એવા મારા પરમ મિત્ર નિસર્ગ વિરડીયા અને કાર્યકમોની સ્ક્રિપ્ટનું સંકલન કરતા મારા પરમ મિત્ર અમિત બાબરીયા (લેખક) છે. એવા જ મારા વડીલ મિત્ર હર્ષદભાઈ વાઘેલા છે.
આ એવા લોકો છે જેનાથી હું ઉજળો છું અને મારા મોટા ભાગ ના કાર્યક્રમોમાં મારા મિત્રો અને કલા ના ઉપાસકો ત્રિલોક વાઘેલા(બેન્જો વાદક), રાકેશ મોરથાણા(તબલા), માનસિંગ ગોહિલ(લોક ગાયક) અને અન્ય બીજા ઘણા ગુજરાતના કલાના ઉપાસકો મારા સુરમાં સાથ પુરાવે છે જેનો ઉલ્લેખ હું એટલા માટે કરું છું કે આ બધા વ્યક્તિઓ મારા સાથે હૃદય થી જોડાયેલા છે